Narendra Modi Caste Truth: હાલમાં જ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન એવો દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મજાત OBC નથી, એ તો  ભાજપે પૂરા પ્લાનિંગ સાથે વર્ષ 2000માં પોતાની સરકાર બન્યા બાદ મોદી જાતિને OBC માં સામેલ કરાવી હતી. એટલે કે રાહુલ ગાંધીએ એ સાબિત કરવાની કોશિશ કરી કે પીએમ મોદી જબરદસ્તીથી ઓબીસી બનીને પોતાને પછાત અને ગરીબ જણાવીને સહાનુભૂતિ લે છે. આ વાતને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ દહોરાવી. તેમણે જૈન, મહેશ્વરી, અને અગ્રવાલને પણ તેમાં ઢસડી લીધા. જાણો આખરે આ મામલાનું સત્ય શું છે. 


ગેહલોતે પણ છેડ્યો જાતિ રાગ
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પણ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓબીસીમાં સામેલ કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ સાચુ કહ્યું છે. કારણ કે ગુજરાતમાં પછાત વર્ગો માટે 1978માં બનેલા મંડલ આયોગ અને બક્ષી કમિટીની ભલામણોમાં મોદી/ઘાંચી ને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં નહતી આવી. મોદી જાતિ સમગ્ર દેશમાં એક બિઝનેસ કમ્યુનિટી છે. જૈન, માહેશ્વરી, અને અગ્રવાલ સમુદાયના લોકો પણ મોદી સરનેમનો ઉપયોગ કરે છે. જો નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી માનતા હોય અને ઓબીસી વર્ગના હિતોના સમર્થક છે તો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની માંગણીને માનીને કેન્દ્ર સરકારે તરત જાતીય ગણતરી કરાવવાની જાહેરાત કરવી જોઈએ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube