નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. અહીં 'તુલા ભરણ' પૂજન પરંપરા હેઠળ તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યાં હતાં. પૂજા અર્ચના માટે 112 કિલોગ્રામ કમળના ફૂલ ખરીદવામાં આવ્યાં હતાં.  ત્રિસુરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી મશહૂર મંદિરોમાંથી એક છે. આ પ્રાચીન મંદિરનો સંબંધ ગુજરાત સાથે હોવાનું મનાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા થાય છે. આ મંદિર વિશેની વાતો જાણવા જેવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમણે અમને જીતાડ્યા તેઓ પણ અમારા, જે જીતાડવામાં ચૂક્યા તેઓ પણ અમારા: પીએમ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુરુવાયૂર પહોંચ્યા જ્યાં તેમણે પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી. મંદિરમાં મોદીનું તુલાદાન થયું. તુલાદાન કૃષ્ણ મંદિરની મહત્વપૂર્ણ રીતિ છે. અહીં એક વ્યક્તિને ત્રાજવા પર બેસાડીને તેમના વજન જેટલો સામાન ફૂલ, અન્ન, ફળો વગેરે ભગવાનને દાન કરાય છે. પૂજા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી કે તેમણે દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી. 


આ નામોથી ઓળખાય છે આ મંદિર
ગુરુવાયૂરનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ મંદિરમાં કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે. આ ઉપરાંત મંદિરમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોને પણ દર્શાવાયા છે. આ મંદિર દક્ષિણની દ્વારકા અને ભૂલોકના વૈકુંઠ નામે પણ ઓળખાય છે. એવી માન્યતા છે કે ગુરુવાયૂર મંદિરમાં કૃષ્ણ મૂર્તિ કળિયુગના પ્રારંભમાં સ્થાપિત કરાઈ. ત્રિસુરને કેરળની દ્વારકા પણ કહે છે. પીએમ મોદી તરફથી કરાયેલી ખાસ પૂજામાં 112 કિગ્રા કમળના ફૂલોનો ઉપયોગ થયો. 


પીએમ મોદીએ મંદિરમાં કરી પૂજા...જુઓ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...