નવી દિલ્હી: મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અને હરદીપ પુરીએ પણ રાષ્ટ્રપિતાને તેમની 150મી જયંતી પર નમન કર્યાં. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષ રાજઘાટ પર આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા હતાં. બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજય ઘાટ પહોંચ્યા હતાં અને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અગાઉ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બાપુની સમાધિ પર પહોંચીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી. 


ગાંધીજીના અમૂલ્ય 10 વિચાર... આ પણ વાંચો


LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...