નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર અક્ષર કુમાર  (Akshay Kumar) ના માતાનું 8 સપ્ટેમ્બરે નિધન થયું હતું. ત્યારબાદ તેમના નજીકના સાથી શોકમાં છે. લોકો મુશ્કેલ સમયમાં અક્ષય કુમારની સાથ આપી રહ્યા છે. હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) એ અક્ષય કુમારને શોક સંદેશ મોકલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કર્યો પત્ર
અક્ષય કુમારે પીએમ મોદીના શોક સંદેશ પત્રને ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ શોક પત્રની શરૂઆતમાં પીએમ મોદીએ લખ્યુ છે, 'મારા પ્રિય અક્ષય, તે સૌથી સારૂ હોત જો હું આ પત્ર ક્યારેય ન લખત. એક આદર્શ દુનિયામાં આવો સમય ક્યારેય ન આવવો જોઈતો હતો. તમારા માતા અરૂણા ભાટિયાના નિધનના સમાચાર સાંભળી મને દુખ થયુ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube