નવી દિલ્હી: કોરોના વાયરસના (Coronavirus) વધતા જતા વિનાશને જોઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને (Kumbh Mela 2021) પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી હતી. આ સાથે પીએમ મોદી (PM Modi) બધા સાધુ-સંતોની સ્થિતિ પણ જાણી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 અઠવાડિયામાં દેશભરમાં કોરોના લગભગ 13 લાખ કેસ નોંધાયા છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટ કર્યું હતું કે 'આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરી (Swami Avdheshanand Giri) સાથે આજે ​​ફોન પર વાત કરી હતી. તમામ સંતોના સ્વાસ્થ્ય વિશે જાણ્યું. તમામ સંતો વહીવટને તમામ પ્રકારના સહયોગ આપી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર માન્યો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube