નવી દિલ્હી: જાહેરાતોમાં સેનાને દેખાડવા સંબંધમાં ભારતીય સેનાએ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે જાહેરાતોમાં સૈનિકોને દેખાડતા પહેલાં સેનાની પરવાનગી લેવી જરૂરી છે. પાન મસાલા અને ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં સૈનિકોનો ઉપયોગ કરવામાં નહી આવે. થોડા દિવસો પહેલાં પાન મસાલાની જાહેરાત આવી હતી જેમાં એક એક્ટરે સેનાની વર્દીમાં બતાવવામાં આવ્યો હતો. કંઇક આ પ્રકારની સ્થિતિ, ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાહેરાતોને ભારતીય સેનાએ ગંભીરતાથી લીધી છે. ભારતીય સેનાનું માનવું છે કે આ પ્રકારની જાહેરાતોથી તેમની છબિ ખરડાઇ રહી છે. તેના માટે આર્મીએ ગાઇડલાઇન જાહેર કરી છે કે જો આર્મી યૂનિફોર્મમાં કોઇપણ જાહેરાત કરવામાં આવશે તો સેના પાસેથી તેની પરવાનગી લેવી પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ