નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. 9 ઓગસ્ટના રોજથી તેઓ એમ્સમાં દાખલ હતાં. બપોરે 12:07 વાગે તેમણે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા.  તેમના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું દુ:ખ ટ્વીટ દ્વારા પ્રગટ કર્યું છે. પીએમ મોદી હાલ યુએઈના પ્રવાસે છે. તેમણે અરુણ જેટલીના નિધનને અંગત રીતે મોટું નુકસાન ગણાવતા પોતાના જીવનથી એક મિત્ર ગયો હોવાની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ તેમની રાજકીય સમજના વખાણ કરતા કહ્યું કે મેં એક એવો મિત્ર ગુમાવ્યો છે જેને હું  દાયકાઓથી જાણું છું. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે કેવી રીતે ઈમરજન્સી દરમિયાન લોકતંત્રની રક્ષા માટે જેટલી સૌથી આગળ ઊભા રહ્યાં હતાં.


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...