નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. તેઓ આજે અહીં રુદ્રપુરના એફસીઆઈની સામેના મેદાનમાં સહકારી વિભાગની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ સાથે જ તેઓ ભાજપની વિજય શંખનાદ રેલીને પણ સંબોધન કરશે. અહીં તેઓ 3340 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીંથી તેઓ વિમાન દ્વારા બપોરે 2.50 વાગે 31મી વાહિની પીએસી, રુદ્રપુરમાં બનેલા હેલીપેડ પર પહોંચશે. અહીંથી લગભગ બપોરે 3 વાગે તેઓ રુદ્રપુરમાં એક જનસભા સ્થળ પહોંચશે. ત્યારબાદ સહકારી વિભાગની લગભગ 3340 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 


મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન 


તેમના આ કાર્યક્રમમાં તેમની સાથે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ સિંહ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, સહકાર રાજ્યમંત્રી (સ્વંતત્ર પ્રભાર) ડો.ધનસિંહ રાવત સહિત અનેક મંત્રીઓ હાજર રહેશે. પીએમ મોદી ભાજપની વિજય શંખનાદ મહારેલીમાં જનસભાને પણ સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટના જણાવ્યાં મુજબ વિભિન્ન પદાધિકારીઓ અને કાર્યકર્તાઓના કાર્યક્રમને લઈને જવાબદારીઓ વહેંચી દેવાઈ છે. તેમણે દાવો કર્યો કે વિજય શંખનાદ રેલીમાં એક લાખથી વધુ લોકો સામેલ થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...