નવી દિલ્હી: ત્રણ દેશના વિદેશ પ્રવાસથી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દિવંગત અરૂણ જેટલીના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. પીએમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે. પીએમ મોદીએ અરૂણ જેટલીની પત્ની સંગીતા, પુત્ર રોહન અને પુત્રી સોનિયા સાથે મુલાકાત કરી છે. સૌથી પહેલા પીએમ મોદીએ અરૂણ જેટલીની તસવીર પર પુષ્પ અર્પણ કરી તેમને નમન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અરૂણ જેટલીના પરિવારની સાથે બેઠા અને તે દરમિયાન તેમની અમિત શાહ પણ હાજર રહ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારત વિરૂદ્ધ રોહિંગ્યાને ભડકાવી રહ્યું છે પાકિસ્તાન, આપી રહ્યા છે આતંકી ટ્રેનિંગ


[[{"fid":"230364","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જણાવી દઇએ કે અરૂણ જેટલીના નિધન સમયે વિદેશ પ્રવાસ પર હોવાના કારણે પીએમ મોદી ભારતમાં ન હતા.


ભારતમાં ઇસ્લામ આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું: RSS નેતા કૃષ્ણ ગોપાલ


અરૂણ જેટલીના નિધનના સમાચાર પીએમ મોદીને યૂએઈમાં મળ્યા હતા. તેમણે અરૂણ જેટલીના નિધનને એક મોટી ખોટ ગણાવતા તેમના જીવનમાંથી એક મિત્ર જવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અરૂણ જટેલીનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન છે. મેં તેમના રૂપમાં એક સારો મિત્ર ગુમાવ્યો છે. અરૂણ જેટલીજી રાજકીય દિગ્ગજ હતા. પીએમ મોદીએ કહ્યું કે જેટલીજીએ ઘણી મોટી જવાદારીઓ નિભાવી છે. અમને હંમેશા તેમની ખોટ વર્તાશે. અરૂણ જેટલી જેવી સમજદારી બહુ ઓછા નેતાઓમાં હોય છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...