નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શનિવારથી શરૂ થતી માલદીવ્સ અને શ્રીલંકાની તેમની મુલાકાત ભારત દ્વારા ‘પડોશી પ્રથમ’ નીતિને આપવાનું મહત્વ દર્શાવે છે અને સમુદ્રથી ઘેરાયેલા બંને દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. લોકસભાની ચૂંટણી જીત્યા પછી પીએમ મોદી બીજી વખત સત્તામાં આવ્યા બાદ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત અંતર્ગત સૌપ્રથમ મલદીવમાં જશે. ત્યારબાદ રવિવારે માલદીવ્સથી તેઓ શ્રીલંકા જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- IL&FS ના ટોપ અધિકારીઓએ પોતે VIP સેવા લીધી બદલામા સંસ્થા (દેશ) વેચ્યા !


વડાપ્રધાનએ કહ્યું, ‘મને ખાતરી છે કે માલદિવ્સ અને શ્રીલંકાની મારી મુલાકાતથી આપણી ‘પાડોશી પ્રથમ નીતિ’ અને ક્ષેત્રમાં દરેક માટે સુરક્ષા તેમજ પ્રગતિના દ્રષ્ટિકોણના આધારે આપણા દરિયાઈ પડોશી દેશો સાથેના નજીકના અને સૌમ્ય સંબંધો વધુ મજબુત થશે. એવું જાણવા મળ્યું છે કે માલદીવ્સ મોદીને પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ઓર્ડર ઓફ નિશાનીજીજુદ્દીન’થી સન્માનીત કરશે.


વધુમાં વાંચો:- લોકસભામાં શરમજનક પરાજય અંગે દેવગૌડાએ કહ્યું અમારો પરાજય થયો તે સારુ થયું !


ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં કરે હસ્તક્ષેપ


શ્રીલંકામાં ઘાતકી હુમલા પછી મોદી શ્રીલંકાની યાત્રા કરનાર કોઇપણ સરકારના પ્રથમ વડા બનશે. વડાપ્રધાન મોદીએ માલદીવ્સની તેમની મુલાકાત વિશે જણાવ્યું હતું કે ભારત આ દેશને મૂલ્યવાન ભાગીદાર માને છે, જેની સાથે તે ઇતિહાસ અને સંસ્કૃતિ વચ્ચેનો ઊંડો સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલના સમયમાં માલદીવ્સ સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધો ખૂબ મજબૂત રહ્યા છે. હું દૃઢપણે વિશ્વાસ કરું છું કે અમારી મુલાકાત દ્વારા આપણી બહુ-પરિમાણીય ભાગીદારી વધુ ઊંડી બનશે.’ ગત વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ માલદીવની મુલાકાત લીધી ત્યારે તેઓ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહાના શપથગ્રહણમાં સામેલ થવા ત્યાં ગયા હતા.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...