નવી દિલ્હી: Union Cabinet Meeting: પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ જેમાં ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આજની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયને લઇને પીયૂષ ગોયલ અને અનુરાગ ઠાકુરે મીડિયાને જાણકારી આપી છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટ એ પીએમ પોષણ સ્કીમને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટ બેઠકમાં થયો મોટો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કાઉન્સીલ ઓફ મિનિસ્ટર્સની બેઠક થઇ હતી. તેમાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા થઇ હતી. તો બીજી તરફ આજની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આજે કેબિનેટએ પીએમ પોષણ સ્કીમને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમ હેઠળ 11.2 લાખથી વધુ સરકારી સ્કૂલોના બાળકોને મફ્તમાં ભોજન મળશે. 

100 રૂપિયામાં મળી રહ્યું છે સોનું! Tanishq અને Kalyan જ્વેલર્સ જેવી બ્રાંડ્સ પર ચાલી રહી છે ઓફર


મિડ-ડે-મીલના બદલે આવશે નવી યોજના
આ સ્કીમને 5 વર્ષ માટે ચલાવવામાં આવશે. તેના માટે સરકારે 1.31 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે આ સ્કીમ હાલમાં ચાલી રહેલા મિડ-ડે મીલની જગ્યાએ આવશે. આ સ્કીમને કેંદ્ર સરકાર રાજ્ય સરકારોની મદદથી ચલાવશે. પરંતુ મુખ્યરૂપથી બધી જ જવાબદારી કેંદ્ર સરકારની હશે. 

વિદેશ જનારાઓ માટે જરૂરી સમાચાર, બદલાઇ ગયા પાસપોર્ટના નિયમ, જાણો સમગ્ર પ્રોસેસ


પીએમ-પોષણ યોજનાની શરૂઆત
કેંદ્ર સરકારે પીએમ પોષણ યોજનાની શરૂઆત કરી છે. તેનાથી દેશભરના 11.2 લાખથી વધુ સરકારી સ્કૂલોના બાળકોને ફાયદો મળશે. મીડિયાને સંબોધિત કરતાં કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ યોજના 5 વર્ષ સુધી ચાલશે અને તેમાં 1.31 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત કેંદ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય નિર્યાત વીમા ખાતા (એનઇઆઇએ) યોજનાને ચાલુ રાખતાં અને 5 વર્ષોમાં 1,650 કરોડ રૂપિયાની મદદ અનુદાનને મંજૂરી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube