PM Modi Security Breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન થયેલી સુરક્ષા ચૂકનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ પંજાબની ચન્ની સરકારે આ મામલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસની બેન્ચ તેના પર શુક્રવારે વાત કરી શકે છે. મળતી માહિતી મુજબ સીનિયર એડવોકેટ મનિન્દર સિંહે આ મામલે જનહિત અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે આ પ્રકારની સુરક્ષામાં ચૂક સ્વીકારી શકાય નહીં. અરજીમાં સીનિયર એડવોકેટ મનિન્દર સિંહે પંજાબ સરકારને યોગ્ય નિર્દેશ આપવા, જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.


કોરોના રસી પાછળ આવું પાગલપણું? 84 વર્ષના વૃદ્ધે એટલી બધી વાર રસીનો ડોઝ લીધો...આંકડો જાણી ચોંકશો


પીએમ મોદીની સુરક્ષા સાથે ષડયંત્રના પુરાવા
પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક પર સીએમ ચરણજીત સિંહ ચન્નીના દાવાનો પોલ ખોલતા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોસ્ટર ફાડતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પ્રદર્શનકારીઓને પહેલેથી ખબર હતી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થવાનો છે. 


Corona: બાળકોને વેક્સીનેશન બાદ આ વસ્તુનું સેવન ન કરવા દેતા...ભારત બાયોટેકે આપી સલાહ


આ 5 મોટા સવાલ મો વકાસીને ઊભા છે
1. પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?
2. પીએમ મોદીના પહોંચતા પહેલા રસ્તો કેવી રીતે બ્લોક થયો?
3. પ્રદર્શનકારીઓને કેવી રીતે ખબર પડી કે પીએમ અહીંથી પસાર થશે?
4. પોલીસ પ્રદર્શનકારીઓને રોકી શકી કેમ નહીં?
5. પીએમ મોદીના કાફલાને કોણે ખોટું ક્લિયરન્સ આપ્યું?


સુરક્ષામાં ચૂક પર ગૃહ મંત્રાલય આકરા પાણીએ
પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને ભાજપે ખુબ જ ગંભીર ગણાવી છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આકરા પાણીએ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારે કોઈને ખબર નથી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થશે, તેની જાણકારી ફક્ત સુરક્ષા દળોને જ હોય છે તો પછી ત્યાં ફ્લાયઓવર પર લોકો શું કરી રહ્યા હતા?


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) એ પંજાબ સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. અત્રે જણાવવાનું કે ત્રણ કૃષિ કાયદા પાછા લીધા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો પંજાબ પ્રવાસ હતો. પરંતુ ફિરોઝપુરના ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા બાદ પીએમ મોદી પાછા ફરી ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube