નવી દિલ્હીઃ Kumar Vishwas Threat News: ગુજરાત વિધાનસભા અને દિલ્હી એમસીડી ચૂંટણી વચ્ચે કવિ કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણી ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. કુમાર વિશ્વાસના મેનેજરે જણાવ્યું કે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાન્ડેયે કહ્યુ કે થોડા દિવસથી એક વ્યક્તિ તરફથી સતત ઈમેલના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. ઈમેલ કરનાર વ્યક્તિએ ભગવાન રામ માટે ખુબ અપમાનજનક વાત કહેતા તેનું મહિમામંડન ન કરવાની ચેતવણી આપી છે. સાથે ધમકી આપનાર વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કુમાર વિશ્વાસથી સારા ગણાવતા તેમના પર ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી છે. પ્રવીણ પાન્ડેયે જણાવ્યું કે, વ્યક્તિએ ઈમેલમાં લખ્યું છે- હું શહીદ ઉધમ સિંહના શપથ લઉ છું કે તને મારીશ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube