નવી દિલ્હી: આતંકવાદને સપોર્ટ આપવાને લઇને વૈશ્વિક સમુદાયનું દબાણ સહન કરી રહેલા પાકિસ્તાનને હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓનો પણ વિરોધ સહન કરવો પડી રહ્યો છે. જેનેવામાં આયોજીત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ (યૂએનએચઆરસી)ના 40માં સત્ર દરમિયાન એક બેઠકમાં પીઓકેના માનવાધિકારી કાર્યકર્તાઓ અને નેતાઓએ પાકિસ્તાનની સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની તરફથી કરવામાં આવેલા પુલવામા આતંકી હુમલાની નિંદા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આતંકી હુમલા અને યુદ્ધના સમયે ઘાયલ જવાનનો જીવન બચાવશે આ દવા


તે દરમિયાન યુનાઇટેડ કાશ્મીર પીપુલ્સ નેશનલ પાર્ટીના ચેરમેન એસ અલી કાશ્મીરીએ પાકિસ્તાન પર હુમલા કરતા કહ્યું કે, પાકિસ્તાની સેનાના અધિકારી કાશ્મીરી લોકોથી ખુલ્લી રીતે આત્મઘાતી હુમલો કરવા માટે જવાનું કહેવામાં આવે છે. તેઓ તેમને ઉશ્કેરે છે. આ એક ખુબજ ચિંતાજનક સ્થિતિ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...