નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યુ કે, આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું પડશે. ભાગવત 'પોઝિટિવિટી અનલિમિટેડ' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરએસએસ પ્રમુખે કહ્યુ- આપણે પોઝિટિવ રહેવું પડશે અને હાલની પરિસ્થિતિમાં ખુદને કોવિડ નેગેટિવ રાખવા માટે સાવચેતી રાખવી પડશે. વર્તમાન પરિસ્થિતિમાં તર્ક વગરના નિવેદન આપવાથી બચવુ જોઈએ. આ પરીક્ષાનો સમય છે પરંતુ આપણે એક રહેવું પડશે અને એક ટીમના રૂપમાં કાર્ય કરવું પડશે. 


દેશમાં કેમ વધી રહ્યાં છે મ્યુકોરમાઈકોસિસના દર્દી, ડો. ગુલેરિયાએ જણાવ્યું કારણ


કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે આગળ કહ્યુ કે, કોરોના મહામારી માનવતાની સામે પડકાર છે અને ભારતે મિસાલ સ્થાપિત કરવાની છે. આપણે ગુણ-દોષની ચર્ચા વગર એક ટીમના રૂપમાં કામ કરવાનું છે. આપણે તેને બાદમાં કરી શકીએ છીએ. એક ટીમના રૂપમાં કામ કરવા અને પોતાના કામને ઝડપી કરી આ પડકારને દૂર કરી શકીએ. 


ઉલ્લેખનીય છે કે કોવિડ રિસ્પોન્સ ટીમ (સીઆરટી) તરફથી 11 મેથી પાંચ દિવસીય 'હમ જીતેંગેઃ પોઝિટિવિટી અનલિમિટેડ'નું આયોજન કરવામાં આવ્યું છે. સમાપન દિવસ પર શનિવારે છેલ્લા દિવસે મોહન ભાગવતે સંબોધન કર્યુ હતુ. આ સાથે કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું હતું. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube