મેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ અહીં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતશે અને તેમનો ભાઈ જ ફરીથી વડા પ્રધાન બશે. પ્રહલાદ મોદીએ અહીં વિમાન મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મને વિશ્વાસ છે કે આગામી સામાન્ય ચૂંટણી 2014ની ચૂંટણીનું પુનરાવર્તન બનશે. ભાજપ 300 કરતાં વધુ બેઠકો જીતશે. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકેનો વધુ એક કાર્યકાળ મળશે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રહલાદ મોદી મેંગલુરુમાં મંદિર અને અન્ય ધાર્મિક કેન્દ્રોની યાત્રા માટે આવ્યા છે. તેમણે જણાવ્યું કે, એનડીએ સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં વિવિધ વિકાસ કાર્યોને સફળતાપૂર્વક લાગુ કર્યા છે. 


ચોકીદાર ધમકીઓથી ડરવાનો પણ નથી કે ઝુકવાનો પણ નથીઃ મોદીના કોંગ્રેસ પર પ્રહાર


તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીનો રાજીનીતિમાં પ્રવેશ ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરી શકશે નહીં. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...