નવી દિલ્હીઃ જનતા દળ યૂનાઇટેડ (JDU)ના પ્રશાંત કિશોર અને પવન વર્મા પર નીતીશ કુમારે મોટી કાર્યવાહી કરી છે. બંન્ને નેતાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે બુધવારે નીતીશ કુમારે પ્રશાંત કિશોર પર મોટો હુમલો કર્યો અને કહ્યું કે, જેને પાર્ટીમાંથી જવું જોઈ તે જઈ શકે છે. આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું હતું કે, જેડીયૂ તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતીશ કુમારે કહ્યું હતું કે, પ્રશાંત કિશોરને અમિત શાહના કહેવા પર પાર્ટીમાં સામેલ કર્યાં હતા. નીતીશ કુમારના આ નિવેદન બાદ પ્રશાંત કિશોરે પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટીમાં મને લેવાને લઈને નીતીશ કુમાર કેટલું ખોટું બોલી શકે છે. તમે એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મારો રંગ તમારા જેવો નથી. 


મંગળવારે પાર્ટીની બેઠકમાં ન આવ્યા પીકે
બિહારમાં સત્તામાં રહેલી જેડીયૂએ મંગળવારે પાર્ટીની બેઠક બોલાવી હતી. જેમાં પ્રશાંત કિશોર ગેરહાજર રહ્યાં હતા. તેવામાં તે વાત ઉઠવા લાગી હતી કે કિશોર જેડીયૂની સાથે છે કે નહીં. આ વિષય પર જેડીયૂના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યું હતું કે, ભાજપના નેતા અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને પાર્ટીમાં લીધા અને હવે જેને જ્યાં જાવું હોઈ ત્યાં જઈ શકે છે. 


મુર્શિદાબાદ: CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન જૂથ અથડામણમાં 2 લોકોના મોત


વિધાનસભા ચૂંટણીને લઈને મળી હતી બેઠક
નીતીશ કુમારે આ વાત જેડીયૂની બેઠકમાં કહી જેને આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને બોલાવવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યપ્રધાને સંવાદદાતા સાથે વાતચીત દરમિયાન પ્રશાંત કિશોર અને પવન વર્માના સંબંધમાં પૂછવા પર કહ્યું, 'જેને જ્યાં જવું હોય જાય. અમારે અહીં ટ્વીટનો કોઈ મતલબ નથી, જેને ટ્વીટ કરવું હોય તે કરે. અમારી પાર્ટીમાં મોટા અને બુદ્ધિજીવી લોકોની જગ્યા નથી. બધા સામાન્ય અને પાયાના લોકો છે.'


પ્રશાંત કિશોરે કર્યો હતો પલટવાર
પ્રશાંત કિશોરે નીતીશ કુમાર પર હુમલો કરતા કહ્યું કે, જો તમે સત્ય બોલી રહ્યાં છો તો કોણ વિશ્વાસ કરશે કે તમારી પાસે એટલી હિંમત હશે કે તમે અમિત શાહની વાત નહીં માનો. હકીકતમાં નીતીશ કુમારે પ્રશાંત કિશોરને લઈને એક નિવેદન આપ્યું હતું. મંગળવારે તેમણે કહ્યું કે, અમિત શાહના કહેવા પર જ પ્રશાંત કિશોરને જેડીયૂમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતીશ કુમારે નામ લીધા વગર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જો કોઈ મને પત્ર લખે છે તો જવાબ આપુ છું, પરંતુ કોઈ ટ્વીટ કરે છે તો તેને ટ્વીટ કરવા દો. અમારે તેનાથી શું લેવા દેવા. પાર્ટીમાં કોઈપણ ત્યાં સુધી રહી શકે છે જ્યાં સુધી તે ઈચ્છે. તે ઈચ્છે તો જઈ પણ શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...