નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અગાઉ શનિવારે અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરીને રોજગારી, કૃષિ, શિક્ષણ, અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રમુખ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો. મોદીએ 40થી વધુ અર્થશાસ્ત્રીઓ અને અન્ય વિશેષજ્ઞો સાથે પાંચ ખાસ મુદ્દાઓ પર વાત કરી જેમાં રોજગારી, કૃષિ, જળ સંસાધન, નિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિત પ્રમુખ આર્થિક વિષયો સામેલ હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે બસ જીવતા બચી ગયા


'ઈકોનોમિક પોલીસી-ધ રોડ અહેડ' વાતચીતનો કાર્યક્રમ
વાતચીતનો આ કાર્યક્રમ ઈકોનોમિક પોલીસી ધ રોડ અહેડ વિષય પર આધારિત હતો અને તેનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમન પાંચ જુલાઈના રોજ મોદીના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કરશે. 


વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પડેલા એક નિવેદન મુજબ વડાપ્રધાને અર્થશાસ્ત્રીઓને અર્થવ્યવસ્થાના વિવિધ પહેલુઓ પર તેમના સૂચનો અને ટિપ્પણીઓ બદલ આભાર વ્યક્ત કર્યો. બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અને રાવ ઈન્દ્રજીત સિંહ પણ સામેલ હતાં. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર અને સરકાર તથા નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ પણ  બેઠકમાં હાજર હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...