નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આગામી મહિને જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયેવ એક નિવેદન જાહેર કરી મંગળવારે કહ્યું- 'યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન તરફથી જી-7 સંમેલનમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ કોવિડ-19ની હાલની સ્થિતિને જોતા તે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જી-7 સંમેલનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે નહીં.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્નવોલમાં બોરિસ જોનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-7 સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ (Special Invitee) આપવામાં આવ્યું હતું. 


Corona ટેસ્ટ પર નવી એડવાઇઝરી, હવે દરેક હોસ્પિટલમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે


આ પહેલા ચારેય નેતાઓ વચ્ચે 12 માર્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હતી. જી-7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યૂનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube