નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે. અત્યાર સુધી ભારતમાં કુલ 159 લોકો કોરોનાથી પીડિત છે તો 3 લોકોના મોત થયા છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો આ વાયરસનો પ્રસાર રોકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 માર્ચે રાત્રે 8 કલાકે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન ગુરૂવારે રાત્રે 8 કલાકે કોરોના વાયરસના મુદ્દા પર દેશની જનતાને સંબોધિત કરશે. પીએમ મોદીએ કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે બેઠક પણ બોલાવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...