મુંબઈઃ Private Jet Crashes: મુંબઈ એરપોર્ટ પર એક પ્રાઇવેટ જેટ ક્રેશ થયું છે. જાણવા મળી રહ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાય છે. ઘટનાને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફને રોકી દેવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રેશ વિમાનમાં રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. આ વિમાનમાં 6 યાત્રી અને 2 ક્રૂ સભ્યો સવાર હતા. માહિતી અનુસાર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી. હજુ સુધી કોઈના જાનહાનીના સમાચાર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વિશાખાપટ્ટનમથી મુંબઈ પહોંચનાર વિમાન વીએસઆર વેન્ચર્સ લિયરજેટ 56 વિમાન મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટનાનું શિકાર બન્યું છે. રનવે 27 પર ઉતરતા સમયે આ ઘટના બની છે. રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube