નવી દિલ્હી: કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. મથુરામાં થયેલી ઘટનાના વિરોધમાં પ્રિયંકાએ રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે પાર્ટીમાં મળેલી જવાબદારીઓ માટે આભાર વ્યક્ત કરતા લખ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમના કામની પાર્ટીમાં કદર થઈ રહી નહતી. શિવેસના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી. અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાઈ રહ્યાં છે તે વાતની પુષ્ટિ કરી હતી. ટ્વિટર પર તેમણે મથુરાની ઘટનાને લઈને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...