અયોધ્યા : કોંગ્રેસનાં પૂર્વી ઉત્તરપ્રદેશના મહાસચિવ પ્રિયંકા ગાંધી શુક્રવારે અયોધ્યા પહોંચ્યા. અહીં તેમણે હનુમાનગઢીનાં દર્સન પહેલા રોડ શો કર્યો હતો. પ્રિયંકા અગાઉ પોતાનાં ભાઇ અને માંના સંસદીય ક્ષેત્ર અમેઠી અને રાયબરેલીની મુલાકાતે ગયા હતા. શુક્રવારે તેઓ અમેઠીથી અયોધ્યા પહોંચ્યા. જો કે પ્રિયંકા ગાંધી રામલલાના દર્શન કરવા માટે નથી જવાના જે મુદ્દે પણ હાલ વિવાદ ચાલી રહ્યો છે. 
ટેરર ફંડિગ મુદ્દે EDની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીનાં પાકિસ્તાન વાળા નિવેદન અંગે આપ્યો જવાબ
વડાપ્રધાન મોદીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ ચૂંટણીમાં જીતી જાય તો તાળીઓ પાકિસ્તાનમાં વાગશે. તેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું કે, બિરયાની ખાવા તો તેઓ ગયા હતા. તેમણે પોતાનાં પતિ રોબર્ટ વાડ્રા પર પીએમનાં આરોપ અંગે કહ્યું કે, અમે લોકો રાજા મહારાજા નથી. અમે રાજા અને મહારાજાઓની વિરુદ્ધ લડાઇ લડી છે.