પણજીઃ શપથ લેવાના કેટલાક કલાક બાદ જ ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મંગળવારે જણાવ્યું કે, તેમની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે બુધવારે બહુમત પરીક્ષણની માગ કરી છે. ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારે કુલ 21 ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે. જેમાં ભાજપના 12, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી (MGP)ના 3-3 ધારાસભ્ય તથા ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો હોવાનું જણાવાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ વર્ષે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસોઝા અને હવે રવિવારે મુખ્યમંત્રી પર્રિકરના નિધન ઉપરાંત ગયા વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્તેના રાજીનામાને કારણે વિધાનસભામાં કુલ સભ્યોની સંખ્યા 36 રહી ગઈ છે. 40 સભ્યોની ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે અને તેના 14 ધારાસભ્યો છે. એનસીપીનો પણ એક ધારાસભ્ય ચૂંટાયેલો છે. 


મંગળવારે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ સાવંતે પત્રકારોને જણાવ્યું કે, "અમે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ બુદવારે વિધાનસભામાં બહુમત પરીક્ષણ કરાવે. અમે તેના માટે તૈયાર છીએ." 


પહેલા ચાવાળો અને હવે ચોકીદાર, દેશ ખરેખર બદલાઈ રહ્યો છેઃ માયાવતીનો ટોણો


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...