નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન સામેની મેચ ન રમવા માટે નિર્દેશ આપ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સરકારે બીસીસીઆઈને જણાવ્યું છે કે, વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ ન રમવી જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 16 જૂનના રોજ રમાનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે બીસીસીઆઈની કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)ને સંદેશો આપ્યો છે કે, 'પાકિસ્તાન સામે ન રમો.' ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા અને ત્યાર બાદ ભારત સરકાર પાકિસ્તાન પર વિવિધ પ્રકારે દબાણ પેદા કરી રહી છે, જેને અનુલક્ષીને આ વધુ એક નિર્ણય લેવાયો છે. 


Pulwama attack : નહીં યોજાય IPL-2019ની ઓપનિંગ સેરેમની, શહીદોના પરિવારને અપાશે રકમ


ભારત દ્વારા પાકિસ્તાન સામે આ મેચનો બહિષ્કાર કરવાની સ્થિતિમાં પાકિસ્તાનને મેચમાં વિજેતા જાહેર કરાશે અને તેને બે પોઈન્ટ મળી જશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુનિલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી, ઓફ સ્પિનર હરભજન સિંહ સહિતના અનેક ક્રિકેટરો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ ન રમવી જોઈએ એવું જણાવી ચૂક્યા છે.  


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...