પુણેઃ પુણેમાં ભીષણ આગ લાગવાથી મોટી દુર્ઘટના સર્જાય છે. આગ લાવાસા રોડના ઉરવડે ગામમાં સ્થિત કંપની  SVS Aqua Technologies માં લાગી છે. આગમાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. હજુ અન્ય મજૂરો ફસાયા હોવાની શક્યતા છે. મજૂરોમાં મહિલાઓ પણ સામેલ છે. રાહત અને બચાવ કાર્ય જારી છે. ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેટની ગાડીઓ પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે. આ કંપનીમાં સેનેટાઇઝર બનાવવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube