નવી દિલ્હી: પંજાબમાં નવી સરકારે પોતાનું કામ શરૂ કરી દીધુ છે અને તમામ સરકારી ઔપચારિકતા પૂરી કરવામાં આવી રહી છે. શનિવારે સવારે 11 વાગે ભગવંત માન મંત્રિમંડળની રચના થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલ લેવડાવશે શપથ
આ દરમિયાન પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓને શપથ લેવડાવશે. અત્રે જણાવવાનું કે ભગંવત માન કેબિનેટમાં 10 મંત્રીઓને સામેલ કરાયા છે. 


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની કેબિનેટમાં હરપાલ સિંહ ચીમા, ડો. બલજીત કૌર, હરભજન સિંહ, ડો. વિજય સિંગલા, ગુરમીત સિંહ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર, લાલચંદ, કુલદીપ સિંહ ધાલીવાલ અને હરજોત સિંહ  બૈંસ સામેલ હશે. કાલે થનારા આ મંત્રીમંડળ શપથગ્રહણમાં કુલતાર સિંહ સંધવા વિધાનસભા સ્પીકર બની શકે છે. 


કોણ છે આ કુલતાર સિંહ સંધવા?
કુલતાર સિંહ સંધવા આમ આદમી પાર્ટીના વિધાયક છે. કોટકપુરાથી સતત બીજીવાર ચૂંટાઈ આવેલા કુલતાર સિંહ સંધવા પાર્ટીમાં અંદર અને બહાર ખુબ મજબૂત ગણાય છે. વિધાયક તરીકે પોતાના કાર્યકાળમાં વિધાનસભાની અંદર અને બહાર પ્રદેશના વિભિન્ન હિસ્સાઓમાં તેઓ સતત સંઘર્ષ કરતા રહ્યા જેના કારણે તેમની ઓળખ પાર્ટીના પ્રદેશ સ્તરના મોટા નેતાઓમાં બની છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube