નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટમી પહેલા આખરે જે જાહેરાતની રાહ જોવાતી હતી તે આજે થઈ ગઈ છે. કોંગ્રેસ છોડી પોતાનો અલગ પક્ષ બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બીજેપીની સાથે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. શુક્રવારે પંજાબ પ્રભારી ગજેન્દ્ર શેખાવતની સાથે મુલાકાત કર્યા બાદ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેપ્ટનને કર્યો ચૂંટણીમાં જીતનો દાવો
પંજાબ બીજેપીના પ્રભારી સાથે મુલાકાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે અમે નિશ્ચિત રૂપથી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતીશું અને તેમાં બેઠક વહેંચણીનો રોલ મહત્ત્વપૂર્ણ રહેશે. બીજી બાજુ ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું છે કે અમે પંજાબ વિધાનસભા ચૂંટણી અમરિંદર સિંહની પાર્ટી સાથે મળીને લડીશું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube