ચંદીગઢઃ પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને આજે જાહેરાત કરી છે કે ભગત સિંહના શહીદી દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. પંજાબના લોકો વોટ્સએપ પર ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- મારો પર્સનલ વોટ્સએપ નંબર હશે. જો તમારી પાસે કોઈ લાંચ માંગે, તેનો વીડિયો/ઓડિયો રેકોર્ડ કરી મને મોકલો. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. 


ભગવંત માને કહ્યુ કે, 23 માર્ચે નંબર જાહેર કરવામાં આવશે. 99 ટકા લોકો ઈમાનદાર છે, 1 ટકાને કારણે સિસ્ટમ બગડે છે. તેમણે કહ્યું કે, ઈમાનદાર ઓફિસરો સાથે હું ઉભો છું. પંજાબમાં હવે હપ્તા વસૂલી બંધ થશે. હપ્તા વસૂલી માટે કોઈપણ નેતા કોઈ અધિકારીને પરેશાન કરશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube