નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી દઈ મુસ્લિમ બનાવવાના મામલે પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે વાત કરી છે. કેપ્ટન અમરિન્દર સિંહે તેમને આ ઘટનાના દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું કર્યું છે. કેપ્ટન અમરિન્દર સિંહે શીખ યુવતીનું અપહરણ કરીને તેને મુસ્લિમ બનાવવાના મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે વિદેશ મંત્રી એસ જયશંકરને આ મામલો પાકિસ્તાની વિદેશ મંત્રી સમક્ષ કડકાઈથી રજુ કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો


આ બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે આવી ઘટનાઓ સતત ઘટી રહી છે. આ ઘટના પણ તેનો જ એક ભાગ છે. પાકિસ્તાનની કેટલીક જવાબદારીઓ બને છે. પાકિસ્તાન બીજા પર સવાલ ઉઠાવતા પહેલા પોતાના ઘરમાં જુએ, જેમાં આગ લાગી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...