ચંડીગઢઃ પંજાબ (Punjab) ની કોંગ્રેસ (Congress) સરકારે લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. પંજાબમાં પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે શનિવારે શિરોમણિ અકાલી દળ (SAD) ના કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) ઘટાડવા માટે ચંડીગઢમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના (Charanjit Singh Channi) ઘરનો ઘેરાવ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખુબ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમે પેટ્રોલ 10 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ-ડીઝલની નવી કિંમત આજે રાત્રે 12 કલાકથી લાગૂ થશે. 


કેન્દ્રએ ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી
મબત્વનું છે કે દિવાળી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમત પર એક્સાઇઝ ડ્યૂટી 5 રૂપિયા અને 10 રૂપિયા ઘટાડી દીધી હતી. ત્યારબાદ અન્ય રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડીઝલ પર લાગેલ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેનાથી અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube