લોકપ્રિય પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યા બાદ પંજાબના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકીય ગરમાવા વચ્ચે લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર ઉપર પણ આક્રોશ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરુપ્રીત સિંહ બનાવાલી આજે સવારે મૂસેવાલાના પૈતૃક ગામ માનસાના મૂસા ખાતે તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા તો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રામીણોએ મુખ્યમંત્રી ભગવંત માન વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા. જો કે આ બધા વચ્ચે સીએમ ભગવંત માન હાલ સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળવા માટે માનસા પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ પહોંચ્યા પરિજનોને મળવા
પંજાબના સીએમ ભગવંત માન સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવારને મળવા માટે માનસા પહોંચ્યા. સીએમના કાર્યક્રમના પગલે ગામમાં ભારે સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઈ છે. હત્યાના પગલે ગ્રામીણોમાં ખુબ આક્રોશ છે. મુલાકાતમાં મૂસેવાલાના પરિવારે પોતાનું દુ:ખ તો જણાવ્યું જ સાથે સાથે ગ્રામીણોને જે સમસ્યા પડી રહી છે તે પણ વાત કરી. તેમણે  કહ્યું કે માનસાના લોકો પાસે મૂળભૂત સુવિધાઓ પણ નથી. કેન્સર ઈન્સ્ટિટ્યૂટ બનવી જોઈએ. સિદ્ધુ અહીં પહેલીવાર બસ લાવ્યો હતો કારણ કે અહીં સીધી બસ પણ આવતી નથી. 


Jammu kashmir: ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ વચ્ચે આજથી કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી સામૂહિક પલાયન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube