ચંદીગઢઃ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને કથિત રીતે માનલા ગામમાં ગોળી મારવામાં આવી છે. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના પંજાબ પોલીસ દ્વારા મૂસેવાલા સહિત 24 લોકોની સુરક્ષા પરત લેવાના એક દિવસ બાદ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધુ મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર માનસાથી લડી હતી અને તેને આપ ઉમેદવાર વિજય સિંહલાએ 63 હજાર મતોથી હરાવ્યા હતા. વિજય સિંગલાને હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube