નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને પગલે કેટલાક મુસ્લિમ દેશોએ રવિવારે ભારતીય રાજદૂતને તેડું મોકલ્યું. કતાર, ઈરાન, કુવૈતે ટિપ્પણીઓની ટીકા કરતા કડક વિરોધ નોંધાવ્યો. આ ઉપરાંત કેટલાક અન્ય મુસ્લિમ દેશોએ વિરોધ વ્યક્ત કરતા નિવેદન પણ બહાર પાડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિપ્પણીઓ મામલે કતાર અને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે રાજદૂતે કહ્યું કે તે ટ્વીટ કોઈ પણ પ્રકારે ભારત સરકારના વિચારોને દર્શાવતા નથી. તે Fringe Elements (હાંસિયાના તત્વો)ના વિચાર છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે વિદેશ કાર્યાલયમાં એક બેઠક પણ યોજી જેમાં ભારતમાં વ્યક્તિઓ દ્વારા અન્ય ધર્મના પૂજનીય લોકોને બદનામ કરનારા કેટલાક આપત્તિજનક ટ્વીટ્સ અંગે ચિંતા વ્યક્ત કરાઈ. 


Uttarkashi Bus Accident: ખીણમાં પડતા જ બસના ફૂરચા ઉડી ગયા, અંધારામાં ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, 26 લોકોના મોત


કોરોના અને મંકીપોક્સ બાદ હવે આ વાયરસનું તોળાઈ રહ્યું છે જોખમ, તેના લક્ષણો ખાસ જાણો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube