નવી દિલ્હીઃ એલોપથીને લઈને વિવાદિત નિવેદન પરત લીધા બાદ બાબા રામદેવે એકવાર ફરી ચિકિત્સા પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. બાબા રામદેવે સોમવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને ફાર્મા કંપનીઓને ખુલ્લો પત્ર લખી 25 સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું કે, એલોપથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન છે તો પછી એલોપથીના ડોક્ટર તો બીમાર ન પડવા જોઈએ. બાબા રામદેવે બીપી, ટાઇપ-1, ટાઇપ-2 ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી ઘણી બીમારીઓને લઈને સવાલ પૂછ્યા કે શું તેમની પાસે કોઈ સ્થાયી સમાધાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા રામદેવે પૂછ્યુ કે એલોપથીની પાસે ફૈટી લિવર, લીવર સિરોસિસ, હેપટાઇટિસને ક્યોર કરનાર મેડિસિન છે શું? ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં હાર્ટના બ્લોકેજને રિવર્સ કરવાના ઉપાય શું છે, બાઈપાસ વગર, ઓપરેશન વગર અને એન્જિયોપ્લાસ્ટીનું સ્થાયી સમાધાન શું છે? શું ફાર્મા ઈન્ડસ્ટ્રી પાસે માથાના દુખાવા અને માઇગ્રેનનું કોઈ સ્થાયી સમાધાન છે? જેથી વારંવાર માથાનો દુખાવો અને માઇગ્રેન ન થાય. એક વખત દવા લે અને સ્થાયી માથાનો દુખાવો અને માઇગ્રેન બંધ થઈ જાય. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં આંખોના ચશ્મા ઉતારવાનું અને હીયરિંગ એડ હટી જાય, તેની કોઈ નિર્દોષ સારવાર જણાવી દે? પાયરિયા થવા પર, જેમ કે દાંત હલવાના બંધ થઈ જાય, પેઢા મજબૂત બનેસ એવી કોઈ નિર્દોષ દવા જણાવો? જેનાથી કરોડો લોકો દુખી છે. 


સ્વાસ્થ્ય મંત્રીના પત્ર બાદ બાબા રામદેવે દિલગીરી વ્યક્ત કરી, વિવાદિત નિવેદન પાછું લીધું


અનિંદ્રા, લોકોને ઊંઘ આવતી નથી, કારણ કે તમારી દવા 4-6 કલાક અસર કરે છે, તે પણ સાઇડ ઇફેક્ટની સાથે, એલોપથીમાં તેનું કોઈ સ્થાયી સમાધાન છે? કોઈ સાઇડ ઇફેક્ટ વગર હિમોગ્લોબિન વધારવાની નિર્દોષ રીત જણાવી દો. વ્યક્તિના બધા ડ્રગ્સ એડિક્શન, નશો છૂટી જાય તેવી કોઈ દવા જણાવો. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં કોરોના દર્દીઓ ઓક્સિજન સિલિન્ડર વગર ઓક્સિજન વધારવાનો કોઈ ઉપાય જણાવે?


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube