નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર પુન:ગઠન એક્ટ 2019 હેઠળ જમ્મૂ કાશ્મીર રાજ્ય આજથી બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત થઇ ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આશયની અધિસૂચના ગત મધરાત્રે જાહેર કરી. 31 ઓક્ટોબરના રોજ સવારે રાધા કૃષ્ણ માથુરને લદ્દાખન ઉપરાજ્યપાલ પદના શપથ ગ્રહણ કર્યા. આ પ્રકારે તે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પ્રથમ ઉપરાજ્યપાલ બન્યા. ઉમંગ નરૂલાને તેમના સલાહકાર બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિધાનસભા નહી હોય અને એલજીના માધ્યમથી કેંદ્વીય ગૃહ મંત્રાલય દ્વારા સીધી શાસિત કરવામાં આવશે, કાશ્મીરમાં એક વિધાનસભા હશે અને દિલ્હી મોડલના આધારે મોટાપાયે કામ કરશે. આ સાથે જ સરદાર પટેલ જયંતિના દિવસે 31 ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ વહિવટીતંત્ર તરીકે કેન્દ્ર સરકારના આધિન થઇ ગયા છે. જમ્મૂ કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે અને લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. આવો આ સંદર્ભમાં જણાવીએ કે જમ્મૂ કાશ્મીરમાં કયા 10 નવા ફેરફાર થશે.  


- જમ્મૂ- કાશ્મીર 31 ઓક્ટોબરથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે
- જમ્મૂ કાશ્મીરમાં RPC ની જગ્યાએ IPC લાગૂ થશે
- જમ્મૂ કાશ્મીરમાં 106 નવા કાયદા લાગૂ થશે
- જમ્મૂ કાશ્મીરમાં 153 વિશેષ કાયદા ખતમ થઇ જશે
- ઉર્દૂની જગ્યાએ હિંદી, અંગ્રેજી સત્તાવાર ભાષા હશે
- જમ્મૂ કાશ્મીરમાં દિલ્હીની માફક વિધાનસભાની રચના થશે
- જમ્મૂ કાશ્મીરમાં રાજ્યપાલની જગ્યાએ લેફ્ટિનેંટ ગર્વનર હશે
- વિધાનસભામાંથી પાસ કરેલા બિલ પર અંતિમ નિર્ણય LG લેશે
- વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષનો હશે
- કાનૂન વ્યવસ્થાને જવાબદારી કેન્દ્ર સરકાર પાસે હશે