Rahul Gandhi on RSS: કોંગ્રેસના નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના એક લેટેસ્ટ નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મહાત્મા ગાંધી અને નહેરુએ દેશને આઝાદ કરાવ્યા પરંતુ મારી સોચ કહે છે કે RSS અને સાવરકર આઝાદીની લડતમાં ક્યાંય નહતાં.'


નફરત અને હિંસા ફેલાવવી એ રાષ્ટ્ર વિરોધી કામ
ભાજપ દ્વારા કોંગ્રેસ PFI નું સમર્થન કરી રહી છે તેવા આરોપ પર જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મારો વિચાર છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે અને કયા સમુદાયથી આવે છે, નફરત અને હિંસા ફેલાવવી એ એક રાષ્ટ્ર વિરોધી કાર્ય છે અને અમે એ દરેક વ્યક્તિ વિરુદ્ધ લડીશું જે નફરત ફેલાવશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube