નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કેન્દ્ર સરકારની સાથે સાથે ભારતીય લોકતંત્ર અંગે એવું નિવેદન આપ્યું છે જેના પર મોટો વિવાદ ઊભો થયો છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ વાષ્ણૈય (Ashutosh Varshney) સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી સદ્દામ હુસૈન અને ગદ્દાફી સાથે કરી નાખી હતી. જેના પર હવે ભાજપે પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને પ્રકાશ જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધીની વાતોનો જવાબ આપવો જ બેકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 'રાહુલ ગાંધીની વાતો પર ટિપ્પણી કરવી બેકાર છે. કારણ કે તેઓ વિચારીને કરતા નથી. ખબર નહીં તેઓ કયા ગ્રહ પર રહે છે. દેશના લોકતંત્રની સરખામણી ગદ્દાફી અને સદ્દામ હુસૈન સાથે કરવી એ જનતાનું અપમાન છે. ગદ્દાફી અને સદ્દામ જેવો સમય આ દેશમાં 1975 અને 1977 ફક્ત બે વર્ષ જ થયો.' આ ઉપરાંત પ્રહલાદ પટેલે કહ્યું કે તેઓ કઈ પણ બોલતા રહે છે. તેમની વાતો પર જવાબ આપવો બંધ કરી દેવો જોઈએ. 


Coronavirus 2nd Wave: કોરોનાના વધતા કેસ પર મુખ્યમંત્રીઓને PM મોદીનો સંદેશ- નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે


Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube