Rahul Gandhi Targets RSS and BJP: હર ઘર તિરંગા અભિયાન પર વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને દેશદ્રોહી સંગઠન ગણાવતા નવેસરથી વિવાદ ઊભો થયો છે. અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી દેશમાં તે માટે દરેક ઘરે તિરંગો લહેરાવવાના અભિયાનની શરૂઆતની જાહેરાત કરાઈ છે. પીએમ મોદી સહિત અન્ય બીજેપી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપી ચેન્જ કરીને તિરંગો મૂકયો છે. આ બધા વચ્ચે રાહુલ ગાંઘી ગઈ કાલે કર્ણાટક પ્રવાસે હતા. અહીં તેમણે હર ઘર તિરંગા અભિયાનને લઈને  ભાજપ તથા આરએસએસ પર નિશાન સાધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું લખ્યું છે ટ્વિટમાં?
રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના કર્મચારીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી જેમાં લખ્યું છે કે 'કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખુબ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે હર ઘર તિરંગ મુહીમ ચલાવનારા, એ દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે, જેમણે 52 વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નથી. આઝાદીની લડતથી, તેઓ કોંગ્રેસ પાર્ટીને ત્યારે પણ રોકી ન શક્યા અને આજે પણ રોકી શકશે નહીં.'



શું છે ઇષ્ટલિંગ?
ઇષ્ટલિંગ સામાન્ય રીતે ગળામાં પહેરાતા ભગવાન શિવલિંગને કહે છે. લિંગાયત ધર્મના અનુયાયી હંમેશા હારની સાથે ઇષ્ટલિંગ ધારણ કરે છે. તે હળવા ભૂરા રંગના સ્લેટના પથ્થરથી બનેલું હોય છે. ઇષ્ટલિંગ પહેરનાર ભગવાન શિવની આરાધના કરે છે. ઇષ્ટલિંગને ગળામાં પહેરી શકાય છે અને તે એક જગ્યા પર સ્થિત નથી હોતું. કહેવાય છે કે જ્યારે પણ કોઈ લિંગાયતે પૂજા કરવાની હોય તો તે પોગાના ગળાના આ શિવલિંગને પોતાની હથેળી પર રાખી પ્રાર્થના કરે છે. 


શું છે શિવયોગ?
શિવયોગ એક દિવ્ય યોગ છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં આ યોગ બને તો તેને ઘણા લાભ થાય છે. આ એક દુર્લભ યોગ છે જે ત્યારે થાય છે જ્યારે નવમ ભાવનો સ્વામી દશમ ભાવમાં અને દશમ ભાવનો સ્વામી પંચમ ભાવમાં હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube