નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન સોદામાં કથિત ગોટાળાઓ મુદ્દે ગુરૂવારે મોદી સરકાર પર ફરી શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો યુપીએ સરકાર સમયે નક્કી થયેલ સોદો થયો હોત તો વાયુસેનામાં આમુલ પરિવર્તન આવ્યું હોત અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભવિષ્યમાં વધારે આત્મનિર્ભર બની શક્યું હોત.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં તેમ પણ કહ્યું કે, યુપીએ સરકારનાં સમયે થયેલી વાતચીત અનુસાર 126 રાફેલ વિમાન ખરીદવામાં આવ્યા હોત તો વાયુસેનાને જગુઆર જેવા જુના વિમાન ઉડાવવાનું જોખમ ન લેવું પડ્યું હોત. 

રાહુલે કહ્યું કેય યુપીએ સરકારનાં સમયમાં જે પ્રકારના સોદા મુદ્દે વાતચીત ચાલી રહી હતી તેને પુરા કરવાનાં બદલે હાલની સરકાર નવેસરથી વાતચીત કરી રહી છે જેથી ક્રોની કૈપિટલિસ્ટ (સાંટગાંઠ વાળા મુડીવાદ)ને ફાયદો પહોંચાડવામાં આવી શકે છે. 
રાહુલ ગાંધીએ કહ્યું કે, જો યુપીએ સરકારનાં સમયનો 126 વિમાનોનો સોદો હોય તો તેનાથી ભારતીય વાયુસેનામાં આમુલ પરિવર્તન આવ્યું હોય અને જગુઆર જેવા જુના વિમાનોને સેનાતી હટાવી શકે છે. તે સોદાતી ટેક્નોલોજીનાં હસ્તાંતરણ હોય જેનાંથી એચએએલ ભવિષ્યમાં વધારે આત્મનિર્ભર બને. 

રાહુલ ગાંધીએ બીજુ શું કહ્યું ?
આ સરકારમાં અનિલ અંબાણીના ફાયદા માટે સોદા અંગે નવેસરથી કામ કરવામાં આવ્યું અને વિમાનોની સંખ્યા 36 કરી દેવામાં આવી અને વિમાનોની સંખ્યા 36 કરી દેવામાં આવી. આ તમામ વિમાન ફ્રાંસમાં બનશે અને તેને બનાવવામાં વર્ષો લાગશે. 

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, આપણા પાયલોટને જગુઆર ઉડાવતા સમયે પોતાનું જીવન રોજિંદુ જોખમમાં નાખવું પડે છે. આ વિમાનોમાં ફ્રાંસ અને વિશ્વનાં બીજા હિસ્સાઓમાં જંકયાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ માત્ર શરમજનક જ નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર ભારતની પ્રતિષ્ઠા પર પણ ખોટી અસર પડે છે.