નવી દિલ્હી: જો તમે ટ્રેન  (Train) વડે મુસાફરી કરો ચો તો તમારા માટે સારા સમાચાર છે. રેલવે (Railway) ફરીથી ટ્રેનોમાં રાંધેલું ભોજન (Cooked Food) પીરસવાનું શરૂ કરશે. કોરોના પ્રકોપને જોતાં ભારતીય રેલવેએ આ સર્વિસને બંધ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી મળશે ભોજન
રેલવે બોર્ડ તરફથી આ નિર્ણયને લઇને એક સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જલદી જ રેલવે ફરીથી રાંધેલું ભોજન (Cooked Meals) ટ્રેનોમાં સર્વ કરવાનું શરૂ કરી દેશે. આ ઉપરાંત રેડી ટૂ ઇડ ભોજન પણ મળતું રહેશે. આઇઆરસીટીસી હાલ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ધીમે ધીમે તબક્કાવાર રીતે આ સેવા શરૂ થઇ જશે. 


સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે નોર્મલ ટ્રેન સર્વિસની બહાલી, યાત્રા કરનાર મુસાફરોની જરૂરિયાતો અને દેશભરમાં રેસ્ટોરેન્ટ, હોટલો અને એવા સ્થળો પર કોવિડ લોકડાઉન પ્રતિબંધોમાં  ઢીલને ધ્યાનમાં રાખતાં રેલ મંત્રાલય તરફ્થી રાંધેલા ભોજનની સર્વિસ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રેડી ટૂ ઇટ સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube