જયપુર #રાજસ્થાનમાં 7મી ડિસેમ્બરે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારે સવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. જયપુર પીસીસી કાર્યાલય ખાતે ગુરૂવારે સવારે સચિન પાયલોટ, અશોક ગેહલોત સહિત અન્ય નેતાઓની હાજરીમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. સચિન પાયલોટે આ જન ઘોષણા પત્ર જાહેર કરતાં એને જનતાલક્ષી ગણાવ્યું. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં પહેલા કોંગ્રેસ દ્વારા જનતા પાસે સોશિયલ મીડિયામાં આ અંગે સુચન મંગાવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વાતો
#ખેડૂતોના દેવા માફ કરાશે
#રાજસ્થાનમાં જન્મનાર દિકરીનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિક્ષણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
#કૃષિ ઉપકરણોને જીએસટીમાંથી મુક્ત કરાશે
#યુવાનોને પરીક્ષા સમયે મફત મુસાફરી
#અસંગઠિત મજૂરો અને કિસાનો માટે બોર્ડ બનાવાશે
#રોજગાર આપવા પ્રયાસ કરાશે, નહીં તો લોન પ્રક્રિયાને સરળ બનાવાશે
#નોકરી ન મળતાં યુવાનોને 3500 રૂપિયા સુધી ભથ્થું આપવામાં આવશે.
#રાઇટ ટૂ હેલ્થ વિધેયક પસાર કરાશે
#સરકાર પાસેથી લેવાના કોઇ પણ ડોક્યુમેન્ટ 30 દિવસમાં મળે એવું આયોજન
#જૈફ ખેડૂતો માટે પેન્શન યોજના 


વિધાનસભા ચૂંટણી 2018ના વધુ સમાચાર જાણો, અહીં ક્લિક કરો