Bhangarh Fort: જો તમને રહસ્યમય જગ્યાઓ પર ઘૂમવાનો શોખ હોય તો રાજસ્થાનમાં આવેલા આ ભાણગઢના કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ કિલ્લો જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. કિલ્લો એટલો રહસ્યમય છે કે હજૂ પણ તેની પહેલી વણઉકેલાયેલી છે. કિલ્લા વિશે અનેક કહાનીઓ પણ પ્રચલિત બનેલી છે. દેશના સૌથી ભૂતિયા સ્થળ તરીકે તે જાણીતું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક કહાનીઓ છે પ્રચલિત
ભાણગઢના કિલ્લા સાથે અનેક રહસ્યમય કહાનીઓ જોડાયેલી છે. મોટાભાગે લોકોનું એવું માનવું છે કે કિલ્લો ભૂતિયો છે પણ આમ છતાં લોકોને કિલ્લો જોવાની તીવ્ર ઈચ્છા હોય છે. સ્થાનિક લોકોમાં સમ્રાટ માધો સિંહની કહાની ખુબ પ્રચલિત છે. જે મુજબ ગુરુ બાલુનાથની મંજૂરી મેળવ્યા બાદ તેમણે આ શહેરનું નિર્માણ કર્યું હતું. તેઓ એક તપસ્વી હતા અને ધ્યાનમાં રહેવું ગમતું હતું. સંતે શરતી મંજૂરી આપી હતી જે મુજબ મહેલનો પડછાયો તેમના પ્રાર્થનાસ્થળ પર પડવો જોઈએ નહીં નહીં તો મહેલ વેર વિખેર થઈ જશે. પણ જ્યારે મહેલ બન્યો તો તેનો પડછાયો સંતના પ્રાર્થના સ્થળ પર પડ્યો અને ભાણગઢ તે જ સમયે વેર વિખેર થઈ ગયું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube