નલી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય સંકટ (Rajasthan Political Crisis) જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ (Congress) દ્વારા સતત ભારતીય જનતા પાર્ટી (BJP) પર રાજસ્થાનની ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય


પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંકટના સમયે નેતૃત્વની ઓળખ થાય છે. કોરોનાના રાષ્ટ્રીય સંકટમાં દેશને જનહિતમાં કામ કરનારના નેતૃત્વની જરૂર છે. પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારોને હટાવવાના પ્રયત્ન કરી તેમનો હેતુ અને તેમના પાત્રને સ્પષ્ટ કરી દીધું છે. જનતા જવાબ આપશે.


LAC પર પણ વિજય દિવસ: લદાખમાં 3 જગ્યા પરથી સંપૂર્ણપણે દૂર થયું ચીન


તમને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા સચિન પાયલટે બળવાખોર વલણ અપનાવ્યું છે. સચિન પાયલટના સમર્થનમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો છે. આ સાથે જ કોંગ્રેસનું કહેવું છે કે સચિન પાયલટ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ રાજસ્થાનમાં ગેહલોત સરકારને હટાવવા માટે કાવતરું ઘડી રહી છે.


આ પણ વાંચો:- કોરોનાના સંકટમાં પરિવારના તમામ સભ્યોએ કરી આત્મહત્યા, જાણો સુસાઇટનું આ છ કારણે


ત્યારે રાજસ્થાનમાં રાજકીય સંકટને લઇને કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી આ મામલે દેશના તમામ રાજ્યોમાં રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનથી પહેલા પાર્ટીએ એક ઓનલાઇન અભિયાન પણ ચલાવ્યું છે. 'લોકશાહીનો અવાજ' નામથી કોંગ્રેસ સમગ્ર દેશમાં આજે ઓનલાઇન અભિયાન ચલાવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube