જયપુરઃ Rajasthan Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રાને લઈને જયપુરમાં મંગળવારે કોંગ્રેસની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલની સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. સચિન પાયલટ પણ અશોક ગેહલોતથી અડધો કલાક પહેલા બેઠકમાં પહોંચી ગયા હતા. આ પ્રથમવાર છે જ્યારે અશોક ગેહલોત અને સચિન પાયલટ તાજેતરના વિવાદ બાદ પ્રથમવાર સાથે જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ગેહલોતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે જો રાહુલ ગાંધીએ પ્રદેશના નેતાઓે એસેટ કહ્યાં છે તો તે છે. તેમના અનુયાયી પણ એસેટ છે. અશોક ગેહલોતે તાજેતરમાં સચિન પાયલટને ગદ્દાર કહ્યાં હતા અને તેના પર રાહુલ ગાંધીએ કોઈ ટિપ્પણી કરવાથી ઇનકાર કરતા ગેહલોત અને પાયલટને પાર્ટીના એસેટ ગણાવ્યા હતા. ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા શાનદાર નિકળશે. 


"યાત્રાને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ"
મુખ્યમંત્રીએ કહ્યુ કે યાત્રાને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ છે. જે મુદ્દા દેશની જનતાના દિલમાં છે તે મુદ્દા લઈને રાહુલ ગાંધી નિકળ્યા છે. આ પીએમ મોદી અને અમિત શાહ માટે સંદેશ છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી વધી રહી છે, હિંસા થઈ રહી છે આ દેશહિતમાં નથી. અમારૂ મુખ્ય મુદ્દો ચૂંટણી જીતવાનો છે અને તે અમે જીતીને દેખાડીશું. અમારો વિચાર પોઝિટિવ છે, અમે નેગેટિવ વિચારતા નથી. 


ઉજ્જૈનમાં રાહુલ ગાંધીએ કર્યા મહાકાલના દર્શન, દૂધથી કર્યો બાબાનો અભિષેક


શું બોલ્યા રાહુલ ગાંધી
હકીકતમાં સોમવાર (28 નવેમ્બરે) અશોક ગેહલોત અને સચિન પાયલટના વિવાદ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે બંને નેતા કોંગ્રેસ માટે ખુબ જરૂરી છે, બંને પાર્ટીની સંપત્તિ છે. તેમણે તે પણ યાદો કર્યો હતો કે આ વિવાદની રાજસ્થાનમાં તેમની યાત્રા પર કોઈ અસર પડશે નહીં અને યાત્રા સફળ રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube