નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિક કાયદા (CAA) અને એનઆરસીના નામ પર દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ગયા છે. પાછલા ત્રણ દિવસથી થઈ રહેલી હિંસા દરમિયાન ઉત્તર પૂર્વી દિલ્હીમાં ઘણી જગ્યા પર પથ્થરમારો-આગચાંપીની ઘટના બની છે. બોલીવુડના સિતારાઓએ પણ આ મામલામાં સરકાર અને પોલીસના વલણની ટીકા કરી છે. સુપરસ્ટાર રજનીકાંતે પણ આ મામલામાં સરકારની અસફળતા વિશે વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજનીકાંતે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફલતા છે અને તેનાથી સાબિત થઈ ગયું છે કે ગૃહ મંત્રાલય પણ આ ઘટનાના મામલામાં ફેલ સાબિત થયું છે. પ્રદર્શન અને વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક અંદાજમાં નહીં. જો હિંસા ભડકાવે તો તેની સામે કડક પગલાં ભરવાની જરૂર છે. 


Delhi Violence: 27 મોત,  18 FIR અને 106 લોકોની ધરપકડ, સીએમે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત  

અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, ગૌહર ખાન, સુશાંત સિંહ, સંધ્યા મૃદુલ, રિચા ચડ્ઢા, વિશાલ ભારદ્વાજ, મોહમ્મદ જીશાન અયૂબ જેવા ઘણા સિતારાઓએ આ મામલામાં પોલીસ અને સરકારની ટીકા કરી હતી. અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર અને વિશાલ ભારદ્વાજ જેવા ઘણા સિતારા તો મોદી સરકારને પહેલા પણ ઘેરી ચુક્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...