નવી દિલ્હીઃ Rajiv Gandhi Assassination: કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. કોંગ્રેસ તરફથી જલદી પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું કે તે રાજીવ ગાંધી હત્યાકાંડના દોષીતોને છોડવા વિરુદ્ધ પડકારતી નવી સમીક્ષા અરજી દાખલ કરશે. કોંગ્રેસે રાજીવ ગાંધીના હત્યારાઓના જેલમાંથી બહાર આવ્યાના 10 દિવસ બાદ સુપ્રીમના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યારાઓ બહાર આવતા કોંગ્રેસે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા તમિલનાડુની જેલમાંથી એક મહિલા સહિત છ લોકોને છોડ્યા બાદ કેન્દ્રએ પણ શુક્રવાર (19 નવેમ્બર) એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી આદેશની સમીક્ષા કરવાનું કહ્યું હતું. કેન્દ્રએ તર્ક આપ્યો હતો કે પર્યાપ્ત સુનાવણી વગર દોષીતોને છોડવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન થયું છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મામલા સાથે જોડાયેલા અન્ય પક્ષોને સાંભળ્યા વગર દોષીતોને સમય પહેલાં છોડવાનો નિર્ણય આપી દીધો. 


Guru Margi 2022:2 દિવસ બાદ ગુરૂનું રાશિ પરિવર્તન, ખુલી જશે આ 4 રાશિના જાતકોનું ભાગ્ય


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube