લખનઉઃ બોલિવૂડ અભિનેતા શત્રુધ્ન સિન્હના પત્ની પૂનમ સિન્હા દ્વારા લખનઉ બેઠક પરથી ચૂંટણી લડવા અંગે રાજનાથે જણાવ્યું કે, "કોઈકે તો ચૂંટણી લડવી જોઈએ. આ જ લોકશાહીની સુંદરતા છે. અમે સંપૂર્ણ મર્યાદા સાથે ચૂંટણી લડીશું. લખનઉની જે 'તહેજીબ' છે, તેને પણ જાળવી રાખીશું." 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, બોલિવૂ઼ડ અભિનેતા શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા મંગળવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેઓ લખનઉની બેઠક પર ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.


શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ જોડાયા સપામાં, લખનઉથી લડી શકે છે ચૂંટણી 


રાજનાથે મંગળવારે ભર્યું નામાંકન
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભા સીટ માટે નામાંકન પત્ર દાખલ કર્યું હતું. ઉત્તરપ્રદેશ બાજપના અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાની સાથે રાજનાથ સિંહે લખનઉના કલેક્ટરને પોતાની એફિડેવિટ સોંપી હતી. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...