પટના: કેંદ્વીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે ગઢના પ્રવાસે છે. રાજનાથ સિંહ પાણ્ડુના બ્લોક મેદાનમાં વિશ્રામપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રામચંદ્વ ચંદ્રવંશીના પક્ષમાં ચુંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014થી કામ કરી રહી છે સરકાર
આ દરમિયાન રજનાથ સિંહે જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે હું ભાજપના ઉમેદવાર માટે વોટ માંગવા માટે આવ્યો છું. ભાજપ સૌથી મોટી પાર્ટી છે. 2014માં પહેલીવાર ભાજપને સ્પષ્ટ બહુમત આપવાનું કામ તમે લોકોએ કર્યું હતું. 2014થી અત્યાર સુધી સરકારે જે કામ કર્યું છે કોઇને વાત કરવાની જરૂર નથી. 


કેંદ્વ સરકાર પર નથી દાગ
સાથે જ રાજનાથ સિંહે કહ્યું કે અત્યાર સુધી કેંદ્વ સરકાર પર કોઇ દાગ નથી. દુનિયાનો કોઇપણ વ્યક્તિ સરકાર પર આંગળી ન ઉઠાવી શકે. ઠીક આ પ્રકારે રાજ્ય સરકાર પર પણ કોઇપણ પ્રકારનો દાગ નથી. આરોપ-પ્રત્યારોપ ચાલતા રહે છે.  


આઝાદ ભારતમાં થયું નથી આટલું કામ
રાજનાથ સિંહે ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે હિંદુસ્તાનની જનતાને જે પાયાની જરૂરિયાતો છે તેના માટે અમે પાંચ વર્ષોમાં જે કામ કર્યું છે તે આઝાદ ભારતમાં ક્યારેય થયું નથી. જનતાની આંખોમાં ધૂળ નાખીને આજતક વોટ માંગ્યા નથી. 


વિરોધીઓ પર તાક્યું તીર
રાજનાથ સિંહે વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું કે કામ કરવાની તડપ હોવી જોઇએ. ભારત દુનિયામાં પહેલા સૌથી પાછળ રહેતો હતો પરંતુ આગામી દિવસોમાં દુનિયાના ટોપ થ્રીમાં આપણો દેશ રહેશે. વિપક્ષીએ રાફેલને લઇને જે સ્ટેન્ડ અપનાવ્યું હતું. તમે જોઇ રહ્યા છો કેવી સ્થિતિ છે તેમની. 


રામ મંદિર પર પણ રાજનાથ સિંહે કહ્યું કે રામમંદિર ત્યાં જ બનશે, ત્યાં બનશે જ્યાં ભગવાન રહેતા હતા અને હવે ભગવાન રમની ત્યાં ભવ્ય પ્રતિમા બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube