નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે ભારત પર ખરાબ નજર નાખનારાઓને જડબાતોડ જવાબ આપીશું. તેમણે સરહદ પર પાકિસ્તાન દ્વારા થઈ રહેલા સતત સંઘર્ષ વિરામ ભંગ અને પરમાણુ ધમકીઓને લઈને કહ્યું કે ભારત ક્યારેય પહેલા હુમલો કરતું નથી. ભારતે ક્યારેય કોઈ દેશ પર  પહેલા આક્રમણ કર્યું નથી અને ન તો ભારતે કોઈ દેશની એક ઈંચ જમીન પર કબ્જો જમાવ્યો છે. પરંતુ ભારતીય સેનામાં તે કૌવત અને તાકાત છે કે જે ખરાબ નજરથી જોશે તેને જડબાતોડ જવાબ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત સરકારની કોશિશ છે કે અમે ડિફેન્સ આઈટમમાં એક્સપોર્ટર બનીએ. તેમણે કહ્યું કે આજકાલના વોર ફેરમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. દેશની સુરક્ષાના સવાલ પર તેમણે કહ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં 26/11નું પુનરાવર્તન થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે ભારતીય નેવીની તાકાત પહેલા કરતા વધી છે.


જુઓ LIVE TV 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...